ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જેતપુરના મેવાસા ગામે સરકારી કચેરી માં રીચાર્જ બોરનું ખાતમુહુર્ત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા.

રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગ ની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી કે ગ્રાઉન્ડ નું પાણી જમીન માં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ સંદર્ભે સંસ્થા દ્વારા મેવાસા ગામ ખાતે સરકારી કચેરીમાં રીચાર્જ બોરનું ખાતમુહુર્ત કેન્દ્રીય કેબીનેટ મીનીસ્ટર શ્રી મનસુખભાઈ માંડવીયા, જેતપુર-ધોરાજી ના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી તથા રાજકોટ ના કલેકટર શ્રી પ્રભવ ભાઈ જોશી સાહેબ, તેમજ વરદ હસ્તે થયલ હતું . જેનાથી વરસાદના મીઠા પાણી તળમાં ઉતરવાથી તળ ઊંચા આવે છે. અત્યારે અલગ અલગ કચેરી માં બોર થઇ રહ્યા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે તેમાંથી ૨૭૫ થી વધુ થઈ ગયા છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર ના સંકલ્પ માંથી ૧૪૦૦ થી પણ વધુ બોર રીચાર્જ થઇ ચુક્યા છે.
છેલ્લા ઘણાં વર્ષમાં 46 ડિગ્રી તાપમાન થયું હોય, તો તેનું કારણ માત્રને માત્ર વરસાદના પાણી જે 25-30 ફૂટે હતા. તે આજે 500 થી 2500 ફૂટે ઊંડા જતા રહ્યા છે. આપણે વર્ષોથી જમીનમાંથી કુવા અને બોર દ્વારા પાણી ખેંચતા જ રહ્યા છીએ. અને પાકા રસ્તાઓ રોડ અને મકાનો થતા તેમજ ખેતર ના પાકમાં પેસ્ટીસાઈડ દવા અને ખાતર વપરાતા જમીન એકદમ હાર્ડ થઈ ગઈ છે. તેના હિસાબે જમીનની અંદર રેગ્યુલર વરસાદનું પાણી ઉતરતું નથી. સામાન્ય રીતે સરેરાશ 40 થી 50 ઇંચ વરસાદ થાય છે. તેમાંથી વધારે ભાગનું પાણી દરિયામાં વહી જાય છે. અને આપણી જાગૃતિ ના અભાવે વરસાદનું પાણી ખૂબ મહત્વનું હોય પણ આપણે તે પાણી નું જતન કરી શકતા નથી. તો આપણે લોકો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના વરસાદી પાણીના જતનના સંકલ્પને સાકાર કરવા અગાસીના પાણી, ફળિયાના કે મોટા ગ્રાઉન્ડના પાણીને નીચાણ વાળા ભાગમાં 200 ફૂટનો બોર કરીએ અને તેમાં હોલ વાળા કેસિંગ નાખીએ તેના ઉપર હોલ વાળી કેપ ઢાંકીએ ઉપરના ભાગમાં સિમેન્ટની કુંડી રાખીએ અને એના ઉપર હોલ વારુ ઢાંકણું ઢાંકીએ તેથી કોઈપણ પ્રકારનો કચરો અંદર ન જાય માત્ર ચોખ્ખું પાણી બોરની અંદર ઉતરે અને તેના માટે એક પાતળું કપડું પણ ઢાંકી શકાય. દરેક લોકો જો આ બોર કરે તો જમીનમાં પાણીના તળ ખુબ જ ઝડપથી ઉપર આવે અને આ પાણી લોકો પોતાના પરિવારમાં પીવા માટે ઉપયોગ કરે તો બીમારીઓ ખૂબ ઘટે છે. અને વૃક્ષોને ખૂબ મોટો ફાયદો થાય છે. તેથી વાતાવરણ ખૂબ ઠંડુ રહે છે. અને પશુ-પક્ષી, જીવ-જંતુ અને માનવજાત સાથે દેશ ની આર્થિક સધ્ધરતા પણ વધે છે.
આ કાર્ય ને સફળ બનાવવા, પ્રાંત અધિકારી ગોંડલ શ્રી રાહુલભાઈ ગમારા, જેતપુર સીટી મામલતદાર પટોળીયા સાહેબ, જેતપુર તાલુકા મામલતદારશ્રી એમ. એસ. ભેસાણીયા, જીલ્લા વિકાસ અધિકારી આનંદભાઈ સુરેશભાઈ ગોવિંદ, તાલુકા વિકાસ અધિકારી વણપરીયા સાહેબ, રાજકોટ ડેરી ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયા, જીલ્લા પંચાયત ના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ, તલાટી મંત્રીશ્રીઓ, મેવાસા ગામ ના સરપંચશ્રી, તમામ અધિકારીઓ, elimpco કંપનીના મેનેજરશ્રી, તથા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે જહેમત ઉઠાવી હતી.