#Blog

સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયાપીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ કરવા અપીલ

પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હોસ્પિટલ સેવા મંડળ દ્વારા તા. 22 જૂન, રવિવારના રોજ સાંજે 7:00 વાગ્યા થી રાત્રે 10:00 વાગ્યા સુધી, રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ, ચંદનપાર્ક સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. ચોમાસાની સીઝનમાં રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થવાના છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ માહિતી માટે અને કેમ્પનાં આયોજન માટે હોસ્પીટલ સેવા મંડળના મનીષ પરીખ (મોઃ ૯૮૯૮૬ ૧૩૨૬૭) પર સંપર્ક કરવા વિનંતી છે. ‘’રકતદાન જીવનદાન’’ ભગવાન કા દિવ્ય અલ્પ નહિ હોતા.. રકતદાનકા કોઈ વિકલ્પ નહિ હોતા..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *