ચંદ્રની ચાંદની, સ્વાસ્થ્ય માટે અતિ કામની

શરદ પુનમ એટલે સોળે કળાએ ખીલેલા ચંદ્રનાં દર્શન. ઠંડીમાં ઠંડક થવાની નિશાની. ગરમીમાં ટાઢક વરસાવવાની કહાની. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય ત્યારે બંનેની વચ્ચે શરદ ઋતુ આવે છે. શરદ ઋતુને રોગોની મા કહેવાય છે. દિવસમાં ત્રણ ચાર વખત બદલતા જતા વાતાવરણથી માણસનાં શરીરમાં જાતજાતનાં ફેરફાર થાય છે જેનાં કારણે વિવિધ રોગો થવાની સંભાવના […]

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 17 માં વેબીનારનું આયોજન

વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ, ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત કરે […]

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનીમલ હેલ્પલાઈન દ્વારા અબોલ જીવોને દૈનિક પીરસાતું અન્નક્ષેત્ર

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન રાજકોટ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા 2 વિશેષ વાહનોમાં અનેક જીવદયા પ્રવૃતિઓ દરરોજ કરવામાં આવે છે. અબોલ જીવો માટે રોજીંદુ અન્નક્ષેત્ર ચલાવામાં આવે છે.  અન્નક્ષેત્ર  નિરાધાર અને રસ્તે […]

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિતલ ખેતાણીને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરાશે

શીલ-સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે જેઓ સમર્પિત છે, તેમને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સેવ કલ્ચર – સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં મંત્રી મુળુભાઈ બેરા  અને સેવ કલ્ચર સેવ […]

સમસ્ત મહાજન દ્વારા અંબાડ, જાલના ખાતે ‘ખાસ ખેડૂત સભા’નું આયોજન 

વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા ‘ખાસ ખેડૂત સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં મિશ્ર ઋતુઓને કારણે ખેડૂતોને પાક ઉગાડવામાં અને પાકની માવજત કરવામાં ઘણી અગવડો પડે છે. વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનની અસર થઈ રહી છે અને કૃષિ અને ખેડૂતોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.  […]

આપણે ત્યાં આવતા સારા માઠા પ્રસંગો પર ગમતી, અનુકુળ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ

જિંદગીની સફરમાં જયારે ક્ષણભર ‘પ્રસંગ’ નામનો પ્રસંગ આવતો હોય ત્યારે જીવનમાં કશુંક વિશેષ થતું હોય એવું લાગે છે. બે ઘડી જીવન ક્યાંક જીવવા જેવું લાગે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો ઘર જાણે જીવતું હોય, એમાં જીવ આવી ગયો હોય તેવો અનુભવ થાય. ચારેબાજુ રાજીપો વરસતો હોય છે. સગા-વ્હાલાઓનાં હસતા મોઢા જોઇને મન મોહિત થઈ […]

પુજા, પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી કુશળ મહિલાઓ માટે ‘જલદુર્ગા ગૌરવ’ સન્માન કાર્યક્રમ યોજાશે.

રોટરી કલબ, પુણે દ્વારા પુજા, પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી કુશળ મહિલાઓ માટે ‘જલદુર્ગા ગૌરવ’ સન્માન કાર્યક્રમ તા. ૨૩, ઓકટોબર, સોમવારનાં રોજ, બી.એમ.સી.એ. આર્કિટેકચર કોલેજ ઓડીટોરીયમ, મહર્ષિ કર્વે શિક્ષણ સંસ્થા, કર્વેનગર, પુણે (મહારાષ્ટ્ર) ખાતે બપોરે ૩–૦૦ થી ૫-૦૦ કલાક દરમિયાન યોજાશે. પાણી એ જીવનનો દોર છે વધતું જતું શહેરીકરણ અને પાણીની અછત માટેનું આયોજન […]

સદભાવના વૃદ્ધાશ્રમને નિ:સંતાન, નિરાધાર માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી […]

આચાર્ય લોકેશજીએ નવનિર્મિત “હેવનલી એન્જલ્સ ચિલ્ડ્રન હોમ”નું ઉદઘાટન કર્યું.

ડીબીસી ટ્રસ્ટ દ્વારા દોરાહા હેવનલી પેલેસ ખાતે નવનિર્મિત “હેવનલી એન્જલ્સ ચિલ્ડ્રન હોમ”નું ઉદ્ઘાટન આદરણીય જૈન આચાર્ય ડૉ. લોકેશ મુનિજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન અનિલ મોંગા, ઉપપ્રમુખ કાયલ મોંગા, શ્રીમતી રજની મોંગા, પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી ડો. સરદારાસિંહ જોહલ, વહીવટી અધિકારી ડો. તનુ જૈન ઉપસ્થિત રહ્યા હતા. અહિંસા વિશ્વ […]

નવરાત્રીનાં ગરબાનો સદુપયોગ ચકલીનાં માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલ

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીનો માળો બનાવી […]