ઓનલાઈન જુગારનો મહામારી સમાન ખતરો :યુવા જાગરણ મંચનાં એડવોકેટ અભય શાહ દ્વારા તાત્કાલિક કડક પગલાંની માંગ

આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન જુગાર એક નવાં પ્રકારની મહામારી બની રહ્યો છે. ભારતના લાખો યુવાનો ફેન્ટેસી સ્પોર્ટ્સ, પત્તા રમતો, સટ્ટા અને ઓનલાઇન કસીનોના મોહજાળમાં ફસાઈ રહ્યા છે. જેના કારણે આર્થિક વિનાશ, માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થતો જાય છે. કાયદાની નિષ્ક્રિયતા અને નીતિઓ કડક ન હોવાના કારણે આ ખતરો સતત ફેલાતો જાય છે. આખી […]

પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૭ મો વાર્ષિક હવન

પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપા તથા પૂ. શ્રી ગોરધનદાદાની અસીમ કૃપા તથા આશીર્વાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૭ મો વાર્ષિક હવન સંવત ૨૦૮૧ ના ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા. ૫/૪/૨૦૨૫ ના રોજ પૂ. માતાજી તથા પૂ.ડુંગરબાપાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરવામાં આવ્યું […]

વાવો ભાઈ વાવો હવે તો એક વડ નું વૃક્ષ જરૂર વાવો

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડલાનાં લાખો ટેટા એ પક્ષીનો પોષ્ટિક ખોરાક ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અજોડ છે. આપણે માનીએ છીએ કે જીવજંતુ, તંતુ, વૃક્ષ વિગેરેમાં પરમાત્માનો વાસ છે. તેની રક્ષા અને નૈસર્ગિક સંતુલન બનાવી રાખવા માટે પશુપક્ષીઓને ઈશ્વરના વાહન તરીકે સ્થાન આપીને તેની રક્ષા કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વૃક્ષોને પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરું […]

શ્રીજી ગૌશાળા (ન્યારા) દ્વારા ‘કાઉ-હગ ડે’ ના અનોખા આયોજનની જાહેરાત

શ્રી વલ્લભીય વૈષ્ણવ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત શ્રીજી ગૌશાળા (ન્યારા) દ્વારા આગામી રવિવાર, 16 ફેબ્રુઆરી, સાંજે 4:00 વાગ્યે ‘કાઉ-હગ ડે’ ની ઉજવણી કરવામાં આવશે. આ અનોખી પહેલ પાછળનો હેતુ: આજે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ યુવા પેઢી વેલેન્ટાઇન-ડે જેવા પ્રયોગોમાં ફસાઈ રહી છે, ત્યારે ભારતીય ગૌસંસ્કૃતિ તરફ આકર્ષિત કરવાનો ઉદ્દેશ્ય રાખી ‘ગૌ વેલેન્ટાઇન’ રૂપે […]

અંગદાન દ્વારા જીવનદાન:શોભનાબેન પરમારના પવિત્ર દાનથી અનેક જીવને મળ્યું નવું જીવન

સ્વર્ગસ્થ કિશોરભાઈ હરિભાઈ પરમાર ના ધર્મપત્નીશ્રી શોભનાબેન કિશોરભાઈ પરમાર હવનમાં જતા હતા ત્યારે ગોવર્ધન ચોક પાસે રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહને ઠોકર મારતા તેમને દોશી હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં સિટી સ્કેન કરાવતા જાણવા મળેલ કે તેને મગજમાં હેમરેજ થયું છે.ડોક્ટર કુણાલ ધોળકિયા ન્યુરોસર્જન ની સારવાર હેઠળ શોભનાબેનની સારવાર કરવામાં આવી. ત્યારબાદ દરમિયાન તેમનું બ્રેઈન ડેડ […]

“શપથ લેના તો સરલ હૈ

પર નિભાના હી કઠીન હૈ સાધના કા પંથ કઠીન હૈ…” દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર નિવાસી અને હાલ નાનસલાઈ મુકામે રહેતા શિવાભાઈ કાનજીભાઈ પટેલ તેમજ તેમની પત્ની દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજને તેમના મૃત્યુ પછી મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થી તબીબીઓના પ્રાયોગિક અભ્યાસ અર્થે “દેહદાન” અને “અંગદાન” નો સંકલ્પ તા.૧૧,ઓક્ટોબરના રોજ લીધો હતો.આ અંગે તેમની ત્રણ દીકરીઓ […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાંભણીયા ગામેચેકડેમનું ખાતમુહુર્ત.

અમરેલી જીલ્લાના કુકાવાવ તાલુકાના બાંભણીયા ગામમાં સંપૂર્ણ લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ડેમ વિશાળ થવાથી ખૂબ ઊંડો થશે અને ખૂબ પાણી ભરાશે તેનાથી આજુબાજુના જમીનના તળમાં પાણીના લેવલ ઊંચા આવશે અને તે સ્તર ના પાણી ઊંચા લેવલ આવવાથી ખેતીમાં ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. અને મીઠા પાણીથી ઉત્પાદનમાં પણ વધારો […]

પૂ. મોરારિબાપુની ભૂમિ તલગાજરડા અને તેની આસપાસ 10 હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરાશે : 4 વૃક્ષોનાં વાવેતરનું કાર્ય સંપન્ન

વૃક્ષો વાવી અને જતન કરવાનું યજ્ઞ કર્મ સદભાવના વૃદ્ધાશ્રમ કરે છે – પૂ. મોરારિબાપુ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવી, તેને મોટા કરાશે, સમગ્ર ભારતને ગ્રીન કરાશે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર દેશમાં 150 કરોડ વૃક્ષો વાવી, સમગ્ર દેશને હરિયાળું કરવાના સંકલ્પ અંતર્ગત પૂ. મોરારિબાપુની ભૂમિ તલગાજરડા અને તેની આસપાસ 10 હજાર વૃક્ષો […]

શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

તુલસી       : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે. લીલી ચા    : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે. અજમો       : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે. ફુદીનો        : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે. ગળો          : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે. કુવારપાઠુ   : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, […]