સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા બજેટ અંગે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરાઈ. રજુઆતો અંગે સરકારશ્રીનો હકારાત્મક અભિગમ.

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી બજેટ 2025-26 માટે જૈવિક ખેતી માટેના પ્રોત્સાહન, “જૈવિક ગુજરાત મિશન”ની શરૂઆત, રાજ્યવ્યાપી જૈવિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન […]

મકરસંક્રાંતિમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો ખતરો : પશુ, પક્ષી અને માનવ જીવનને હાનિ ચાઇનીઝ દોરી આનંદની રમત નહિ પણ જીવલેણ હથિયાર સાબિત થાય છે અત્યાર સુધીમાં અનેક પક્ષીઓ પણ ચાઇનીઝ દોરીના શિકાર ચાઇનીઝ દોરીથી એક શ્વાનનું ગળું કપાઈ ગયું : એનિમલ હેલ્પલાઈન દ્વારા સારવાર

હજુ તો જાન્યુઆરી મહિનો શરુ થયો ત્યાં મકરસંક્રાંતિને લઈને ઘણા લોકો ઉત્સાહી થયા છે ત્યારે કોઈનો ઉત્સાહ, કોઈના જીવનનો ભોગ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. છેલ્લા 21 વર્ષોથી રાજકોટમાં એનિમલ હેલ્પલાઈન કાર્યરત છે. જેમ જેમ મકરસંક્રાંતિનાં દિવસો નજીક આવી રહ્યા છે તેમ  લોકો પતંગ ઉડાડતા થયા છે. આવા સમયે ઘણા લોકો પતંગ […]

રાજકોટમાં સૌપ્રથમવાર હિરપરા પરીવારનું સ્નેહમિલન યોજાશે.સ્નેહમીલનમાં રક્તદાન કેમ્પ, સરસ્વતી સન્માન, અંગદાન અંગેની જાગૃતિ સહિતના અનેક સેવાકીય કાર્યો કરાશે.

રાજકોટમાં પ્રથમવાર સમસ્ત હિરપરા પરીવારનું તા. 05/01/2025, રવીવારે, ધ્રુવીશા પાર્ટી પ્લોટ, મવડી–કણકોટ રોડ, સમરવેવ વોટર પાર્ક સામે, ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજની સામે, રાજકોટ ખાતે સ્નેહમિલન રાખવામાં આવ્યુ છે. શિયાળાની ઠંડીની સિઝનમાં સીવીલ હોસ્પિટલમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે બ્લડ ડોનેશન […]

ઋગ્વેદ અનુસાર ખેતરમાં ઉગતા અનાજમાં કોનો કેટલો ભાગ ?

ભારત દેશમાં પશુ,પક્ષી, પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ, મા દુર્ગા માટે વાઘ, દેવી લક્ષ્‍મી માટે ઘુવડ, વૈષ્ણવી માતા માટે ગરૂડ, માતા મહેશ્વરી માટે નંદી, ગંગા માતાનું વાહન મકર, દેવી ઇન્દ્રાણી માટે હાથી, મા ઘુમાવતી માટે કાગડૉ અને બહુચરા […]

જેતપુર ગોવિંદકુંજ હવેલી (કલ્યાણ રાયજી મહારાજ) ખાતે ઠાકોરજીના દર્શન અને પૂ.પુષ્પકલા બેટીજી સાથે આધ્યાત્મિક સત્સંગ

તાજેતરમાં જેતપુરના પ્રવાસ દરમ્યાન ડો.કથીરિયાએ ગોવિંદકુંજ હવેલી (કલ્યાણ રાયજી મહારાજ) ના પવિત્ર પરિસરમાં ઠાકોરજીના દર્શન – આરતી સાથે પુષ્પકલા બેટીજીનું આદરથી સન્માન કરવામાં આવ્યું હતું. અને ગૌ મહાત્મય વિષે વૈષ્ણવ સંપ્રદાયના યોગદાન અંગે આધ્યાત્મિક ચર્ચા – વિમર્શ કર્યો હતો. આ પ્રસંગે પરિસર સ્થિત ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.              ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ના […]

નવનિયુક્તનબ હોદેદારો દ્વારા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોશીએશનના દરેક મેમ્બરો ને જળ સંચય કરવા ભવ્ય મીટીંગનું આયોજન.

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નવનીત પ્રમુખ અમૃતભાઈ ગઢીયા દ્વારા જળ સંચયના કાર્યને વધુમાં વધુ વેગ આપવા માટે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં વરસાદી પાણી માટે બોર રિચાર્જ તો કરવો જ જોઈએ પણ સાથે સાથે બારે મહિના દરેક લોકોને શુદ્ધ પાણી મળે તેના માટે વ્યક્તિદીઠ સામાન્ય રીતે ત્રણ થી પાંચ લીટર સ્ટોરેજ ના હિસાબે એક વ્યક્તિ દીઠ 1500 લીટર […]

પર્યાવરણ પ્રેમી પરસોતમભાઈ વેકરીયાએ પોતાના ઘરમાં આવતા તમામ પ્રસંગોમાં 511 વૃક્ષોનું વાવેતર કરીને પ્રસંગોની ઉજવણી કરી. સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતા પરસોતમભાઈ વેકરીયા પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર.

ખેડૂત પરીવારમાં ઉછરેલા, શીક્ષક પરસોતમભાઈ વેકરીયા તથા તેમના ધર્મપત્ની ભારતીબેન વેકરીયા પર્યાવરણ પ્રેમી છે, ઘણા વર્ષોથી સદભાવના વૃધ્ધાશ્રમની વૃક્ષારોપણની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. ઘણા વૃક્ષોનું વાવેતર કરી ચૂકયા છે, વૃક્ષો દતક પણ લઈ ચૂકયા છે. હાલમાં પરસોતમભાઈના નવા ઘરમાં ગૃહ પ્રવેશ નિમીતે તથા તેમના મોટા પુત્ર ડો. હાર્દિક વેકરીયા તથા ડો. નિધીબેન વેકરીયાને ત્યાં દિકરી […]

નવા વર્ષના આરંભે અબોલ જીવો માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનો અનોખો ઉપક્રમ અબોલ જીવોની સુખાકારી માટે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ સાથે નવા વર્ષે પ્રાર્થના કરવામાં આવશે

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન, નવું વર્ષ અનોખી રીતે વધાવશે, જ્યાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ સાથે અબોલ જીવોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં કલ્પેશભાઈ ભટ્ટ અને તેમના પરિવારનો વિશેષ યોગદાન મળ્યું છે. કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પલાઇન અબોલ જીવોના રક્ષણ અને સારવાર માટે છેલ્લા 21 વર્ષથી કાર્યરત છે. અબોલ જીવોનો આપણા જીવનમાં […]

શિયાળાની ઠંડીમાં ધાબળા અને ટોપી વિતરણ શરુ.

રાજકોટ, સિવિલ હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ, રેલ્વે, મેટોડા, શાપર, આજી તેમજ અનેક ઝૂંપડપટ્ટીઓમાં ખુલ્લા મેદાનમાં, ફૂટપાથ પર, સીમમાં ઓઢ્યા વગર સુતેલા હોય તેવા લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ફૂટપાથ પર સૂતેલા અને હાઇવે પર ઝૂપડા બાંધી રહેતા અનેક દરિદ્ર નારાયણો, બાળકો, વડીલો સૌ ને ઠંડીથી રાહત-રક્ષણ અપાવવાના ભાગરૂપે દાતા પરિવારના સહયોગથી વિના મૂલ્યે ધાબળા, ટોપીનું જે […]

10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ‘ગો સેવા ગતિવિધિ’ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બોટાદ ખાતે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન

10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી જાન્યુઆરી મહિનામાં ‘ગો સેવા ગતિવિધિ’ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બોટાદ ખાતે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સમગ્ર વિશ્વ અનેક બીમારીઓથી ગ્રસ્ત છે. દુનિયા માત્ર દવા પર જ નિર્ભર હોઈ તેમ ખોરાકની જેમ રોજ દવા લેતા અનેક લોકો આપણી નજર સામે આવે છે. સ્વાભાવિક છે દરેકને વિચાર આવે કે શું […]