ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ ના આર્થિક સહયોગથી યાર્ડમાં બોરરીચાર્જ કરવામાં આવ્યા.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનના ભાગરૂપે A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ માં બોર રીચાર્જની શરૂઆત કરી.A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ ના ચેરમેન જયેશભાઈ બોઘરા એ જણાવેલ કે સરકાર દ્વારા પાણી નું મહત્વ વધારે આપવામાં આવે છે તો માનવ સાથે સૃષ્ટિ ના દરેક જીવનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોઈ તો વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા […]

દૂરંદેશી વિઝનરી રાજનેતા, ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણકર્તા ડો. વલ્લભભાઈ કથીરિયા.

રાજકોટ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સંસદ સભ્ય ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ભારતના પૂર્વ વડા પ્રધાન શ્રી મનમોહનસિંહજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેમના જીવન અને નેતૃત્વએ રાષ્ટ્ર અને વિશ્વમાં અમીટ છાપ છોડી છે.           શ્રી મનમોહન સિંહ જીનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ નમ્રતા અને ભારતની પ્રગતિ માટે ઊંડી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારતે […]

ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા ‘એર ઇન્ડિયા’ને પોતાના મેન્યુ કાર્ડમાં નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ આપવા માટે રજૂઆત કરાઈ

એર ઇન્ડિયાની ઇન-ફ્લાઇટ સેવાઓ દરમિયાન પીરસવામાં આવતા ભોજનનાં મેન્યુ કાર્ડ પર નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ કરવામાં આવતું નથી. માંસાહારી ખાદ્ય ચીજોમાં માંસાહારી ઘટકો હોય છે તે દર્શાવતું પ્રમાણભૂત લાલ ચિહ્ન એર ઇન્ડીયાના મેન્યુ કાર્ડમાં આપેલું નથી. યોગ્ય લેબલીંગનો આ અભાવ બરાબર નથી, કારણ કે એર ઇન્ડિયાની ફ્લાઈટ લઈને મુસાફરી કરતા લોકો વ્યક્તિગત, ધાર્મિક અથવા સાંસ્કૃતિક […]

પીપલાંત્રી ગામ : દીકરીઓના સન્માન અને પર્યાવરણ જાળવણીનું અનોખો ઉદાહરણદરેક દીકરીના જન્મ નિમિત્તે 111 વૃક્ષ વાવવામાં આવે છે

રાજસ્થાનના પીપલાંત્રી ગામે દીકરીઓના સન્માન અને પર્યાવરણ જાળવણી માટે અનોખી પ્રથાઓ અને પ્રયત્નોથી વિશ્વભરમાં માન્યતા મેળવી છે. ગામની આ પ્રથા 2006થી શરૂ થઈ હતી, ત્યારે ગામના પૂર્વ સરપંચ શ્યામ સુંદર પાલીવાલે આ અભિયાનની શરૂઆત કરી હતી. તેમની દીકરી કિરણના અકાળ મૃત્યુ પછી, તેમણે દીકરીઓના સન્માન અને પર્યાવરણની સુરક્ષા માટે નવી પ્રથા ઉભી કરી હતી. પીપલાંત્રી […]

શિયાળાની કડકડતી ઠંડીમાં કેવી રીતે લઈશું પશુ, પક્ષીઓની કાળજી

શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે અને દિવસે દિવસે તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શિયાળાની ઠંડીમાં પશુ અને પક્ષીઓનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશુઓ અને પક્ષીઓના શરીર પર તાપ માટે સાહજિક તંત્ર હોય છે એ છતાં, તીવ્ર ઠંડીમાં તેમના શરીરનું તાપમાન ઘટી શકે છે, જે તેમના માટે હાઈપોથર્મિયા જેવી […]

સામાજીક આગેવાન બનવું સહેલું નથી, સામાજીકકાર્ય કરતા આગેવાનોને મદદરૂપ થાઓ –  મિત હિતેશભાઈ ખખ્ખર

જેણે સામાજીક કાર્ય કર્યા હોય તેને જ અનુભવ હોય કે દેશ અને સમાજની સેવા કરવી બહુજ કઠીન કામ છે, સમાજમાં દરેક વ્યક્તિના વિચારો અનુકુળ કામ કરવા પ્રયત્ન કરવા પડે છે. સમાજના કોઈ આગેવાન નિસ્વાર્થ સેવા કરતો હોય તો પણ કડવા ઘૂંટ કેટલીય વાર પીવા પડતા હોય છે. કોઈક નાની ભુલ થઈ હોય તો પણ તેવા […]

તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથા ‘માનસ હરિભજન’ ગાન સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ હાલમાં જ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ રામકથાનો ઉલ્લેખ કરીને વૃક્ષારોપણનાં અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો.

સદભાવના વૃદ્ધાશ્રમનો  151 કરોડ વૃક્ષોના વાવેતર-ઉછેરનો મહાસંકલ્પ. સદભાવના વૃદ્ધાશ્રમે અત્યાર સુધીમાં દેશીકુળના લીમડો,પીપળો, પીપળ, વડ, ઉંબરો,આંબલી સહિતના 30 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે. પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર. શાસ્ત્રોના મતે વૃક્ષો બને છે માણસના તારણહાર. સદભાવના વૃદ્ધાશ્રમનાં નવનિર્મિત ભવનનાં લાભાર્થે અને વૃક્ષો અને વડીલો માટે હાલમાં જ […]

શું કહે છે વેદ, પુરાણો અને ગ્રંથોમાં ગૌમાતા અને જીવદયા વિષે અબોલ જીવો બચશે તો જ આપણે બચીશું

વેદોમાં પૃથ્વી પર રહેતા તમામ જીવોની જીવનની એકતા અને પરસ્પર સંલગ્નતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ, પ્રાણીઓ અને માનવીઓ વચ્ચે સન્માનનો સંબંધ હોવો જોઈએ. સર્વે જીવોનું રક્ષણ કરવું એ સમાજના નૈતિક દાયિત્વ તરીકે વ્યક્ત થયું છે. પુરાણોમાં પણ ગૌમાતા અને જીવદયા વિશે ઘણા વર્ણન આપેલ છે. ગાયને માનવ જીવન […]

‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ      રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યા હતા.  ‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા મહારાષ્ટ્રની વિવિધ પાંજરાપોળને ₹ 30 લાખના ચેકનું    વિતરણ કરાયું

શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા ક્રિસ્ટર ક્રિએટીવીટી સેન્ટર, મુંબઈના સહયોગથી રતનલાલ બાફના ગોસેવા અનુસંધાન  કેન્દ્ર, અહિંસા તીર્થ, અજીંઠા રોડ, કુસુંબા રોડ, જલગાંવ (મહારાષ્ટ્ર)  ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.  કેમ્પમાં જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને […]

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ અને ‘સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન’ દ્વારા સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ યોજાયો સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિ વિશેષને સુરત ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે લડી રહેલા યોદ્ધાઓને પ્રોત્સાહનથી અન્ય સમાજસેવકો પ્રેરિત થશે

સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના ૮ વ્યક્તિવિશેષને સુરત ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “સમાજમાં દૂષણ ફેલાવનાર તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓને મૂકદર્શક બનીને જોવાના બદલે હકારાત્મકતા ફેલાવીને કાઉન્ટર એટેક કરવો જરૂરી છે. સોશ્યલ મીડિયા પ્રભાવી બન્યું […]