રામનવમીનાં પવિત્ર દિવસે, તા. 26, માર્ચ, ગુરુવારના રોજ સવારે 09-00 કલાકેથી કિશાન ગૌશાળા દ્વારા ગૌ પૂજનનો કાર્યક્રમ યોજાશે.
જકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. રામનવમીનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 26/03/2026 ને ગુરુવારના રોજ સવારે 09-00 થી બપોરે 01-00 વાગ્યા સુધી ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે. સાથમાં જ ભજન, કિર્તન તથા રામ આરાધના કરાશે. […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































