અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા આયોજિત મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે 19 મો પરીચય મેળો યોજાયો.

સમગ્ર ભારતભરમાંથી અંદાજે 160 લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લીધો. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ દર રવિવારે, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન  ‘શ્રી રઘુવંશી […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી, ‘રામપાતર’ અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા નવ વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા,નાના પશુઓ, પક્ષીઓની તરસ છીપાવવા […]

પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ) પોતાના પત્ની મુકતાબેન વાસાણી ના જન્મદિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે ૧૧ લાખ રૂપિયાનું ચેકડેમ બનાવવાની જાહેરાત કરી જન્મદિવસની ઉજવણી.

રાજકોટના ઉદ્યોગપતિ ટર્બો બેરિંગ વાળા પ્રતાપભાઈ પટેલના ધર્મપત્ની મુકતાબેન પી. વાસાણી ના ૮૧ માં જન્મદિવસે મિત્ર સર્કલ ના સ્નેહ મિલનનું આયોજન કરી અને સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ કરવામાં સૌથી વધુ મહત્વ હોય એવા અમૃત સમાન વરસાદી શુદ્ધ પાણીનું યોગ્ય જતન કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ૧૧ લાખ રૂપિયાનું ચેકડેમ બનાવવાની જાહેરાત કરી જન્મદિવસની ઉજવણી, આ જ રીતે […]

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર 100% નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો દાયકાનો સફર

સારવાર, ઓપરેશન તો નિ:શુલ્ક જ ઉપરાંતમાં દર્દી તેમજ તેમના સગાઓ માટે સારું ભોજન હોસ્પિટલમાંથી જ અપાઈ રહ્યું છે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં સ્થિત 100% નિઃશુલ્ક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના પ્રખ્યાત શિક્ષક અને ગુરુ શ્રી રતિલાલ બોરિસાગરને શ્રદ્ધાંજલિરૂપે કરવામાં આવી હતી, જેમના પૂર્વ વિદ્યાર્થી, જે આજે ડોક્ટર, […]

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘દ્વારા અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો‘

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી ચલાવવામાં આવે છે. મનુભાઈ […]

ઓનલાઈન જુગારનો મહામારી સમાન ખતરો :યુવા જાગરણ મંચનાં એડવોકેટ અભય શાહ દ્વારા તાત્કાલિક કડક પગલાંની માંગ

આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન જુગાર એક નવાં પ્રકારની મહામારી બની રહ્યો છે. ભારતના લાખો યુવાનો ફેન્ટેસી સ્પોર્ટ્સ, પત્તા રમતો, સટ્ટા અને ઓનલાઇન કસીનોના મોહજાળમાં ફસાઈ રહ્યા છે. જેના કારણે આર્થિક વિનાશ, માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થતો જાય છે. કાયદાની નિષ્ક્રિયતા અને નીતિઓ કડક ન હોવાના કારણે આ ખતરો સતત ફેલાતો જાય છે. આખી […]

પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૭ મો વાર્ષિક હવન

પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપા તથા પૂ. શ્રી ગોરધનદાદાની અસીમ કૃપા તથા આશીર્વાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૭ મો વાર્ષિક હવન સંવત ૨૦૮૧ ના ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા. ૫/૪/૨૦૨૫ ના રોજ પૂ. માતાજી તથા પૂ.ડુંગરબાપાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરવામાં આવ્યું […]

વાવો ભાઈ વાવો હવે તો એક વડ નું વૃક્ષ જરૂર વાવો

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડલાનાં લાખો ટેટા એ પક્ષીનો પોષ્ટિક ખોરાક ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અજોડ છે. આપણે માનીએ છીએ કે જીવજંતુ, તંતુ, વૃક્ષ વિગેરેમાં પરમાત્માનો વાસ છે. તેની રક્ષા અને નૈસર્ગિક સંતુલન બનાવી રાખવા માટે પશુપક્ષીઓને ઈશ્વરના વાહન તરીકે સ્થાન આપીને તેની રક્ષા કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વૃક્ષોને પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરું […]

શ્રીજી ગૌશાળા (ન્યારા) દ્વારા ‘કાઉ-હગ ડે’ ના અનોખા આયોજનની જાહેરાત

શ્રી વલ્લભીય વૈષ્ણવ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત શ્રીજી ગૌશાળા (ન્યારા) દ્વારા આગામી રવિવાર, 16 ફેબ્રુઆરી, સાંજે 4:00 વાગ્યે ‘કાઉ-હગ ડે’ ની ઉજવણી કરવામાં આવશે. આ અનોખી પહેલ પાછળનો હેતુ: આજે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ યુવા પેઢી વેલેન્ટાઇન-ડે જેવા પ્રયોગોમાં ફસાઈ રહી છે, ત્યારે ભારતીય ગૌસંસ્કૃતિ તરફ આકર્ષિત કરવાનો ઉદ્દેશ્ય રાખી ‘ગૌ વેલેન્ટાઇન’ રૂપે […]