રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં ૯–કંટ્રોલ રૂમ કાર્યરત. ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં કંટ્રોલ રૂમની પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી.
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન‘ શરૂ થઇ ચુક્યું છે. […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































