ગૌ સેવા એટલે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ – પ.પૂ. શ્રી હરિપ્રિય સ્વામી• મકરસંક્રાતિના દિવસે નજીકની ગૌશાળામાં જઇ સામૂહિક ગૌ પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવા ડો. કથીરિયાનું આહવાન.મકરસંક્રાતિના પવિત્ર અવસરે વિવિધ પ્રકારે દાન કરી ગૌવ્રતી બની આજીવન ગૌ સેવાનો સંકલ્પ કરીએ.- ડો. વલ્લભભાઈ કથીરિયા.GCCI દ્વારા તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના ગૌ પૂજન મહિમા પર ઓનલાઇન નેશનલ વેબિનારનું આયોજન થયું.
રાજકોટ, GCCI ના ફાઉન્ડર ચેરમેન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ભારતની તમામ ગૌશાળાઓમાં મકરસંક્રાંતિ ના દિવસે ગૌ માતા પૂજનના કાર્યક્રમોનું આયોજન થાય. ગૌ કલ્યાણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજની ભાગીદારીને પ્રોત્સાહન આપવા GCCI દ્વારા આયોજીત તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ “ગૌ પૂજન મહિમા” પર સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના હરિપ્રિય સ્વામી અને […]
 











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
         
         
        