પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા એનિમલ હેલ્પલાઈનની વડાપ્રધાનને રજૂઆત

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અંગેના નિર્ણયની જાહેરાત કરવા માટે ગૌપ્રેમી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને એનિમલ હેલ્પલાઇન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1883 ની સાલમાં હિન્દુ સામ્રાજયનાં સર સેનાપતી શ્રી મહાદેવ શિંદેએ ”સંપૂર્ણ ગૌવંશ હત્યા બંધી” ની ઘોષણા લાલ કિલ્લા પરથી જ કરી હતી. તે જ […]

જૂનાગઢના ચોકલી ગામે જળક્રાંતિનો ઉદય: પુરુષોત્તમ લાલજી‌ ગૌશાળા દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્તસામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામ ખાતે જળ સ્તર ઉંચા લાવવા અને ખેતી-પશુપાલનને સમૃદ્ધ બનાવવાના ઉમદા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી શ્રી પુરુષોત્તમ લાલજી‌ ગૌશાળા દ્વારા નિર્મિત થનારા ચેકડેમનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામીણ અગ્રણીઓ, મુંબઈ અને અમેરિકા સ્થિત દાતાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના મુખ્ય વક્તા અકાળાના સામાજિક અગ્રણી શ્રી વિનુભાઈ […]

પૂજ્ય મોરારી બાપૂ રામકથામાં આજે સ્વામી ગોવિંદદેવ ગિરીજી અને જૈન આચાર્ય લોકેશજીનું સંબોધન

પૂજ્ય મોરારી બાપૂ અને જૈન આચાર્ય લોકેશજીના વિશ્વ શાંતિના પ્રયાસો નિશ્ચિત સફળ થશે – સ્વામી ગોવિંદદેવ ગિરી શ્રી રામના આદર્શ કમજોર વર્ગોના અસ્તિત્વ અને ન્યાયને પ્રાથમિકતા આપે છે – પૂજ્ય મોરારી બાપૂ અનેકાંતવાદ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અને અનેકતામાં એકતા ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર – જૈન આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના […]

ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ આધારિત અર્થ વ્યવસ્થા અને સમૃદ્ધ વિકાસ” પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ આધારિત અર્થ વ્યવસ્થા અને સમૃદ્ધ વિકાસ” નિવૃત્ત IAS અધિકારી તથા ગૌ આધારિત જીવનશૈલીના પ્રખર સમર્થક ભાઈ કમલાનંદ (ડૉ.કમલ ટાઉરી) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત : ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત : ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે મોરબી જિલ્લાના ટંકારા ગામે આજે જળસંચયના એક ભગીરથ કાર્યનો મંગલ પ્રારંભ થયો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ચેકડેમનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિકો અને રાજકીય અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં જળ બચાવવા અને ધરતીને હરિયાળી બનાવવાના સંકલ્પને […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેનાદવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 18168 થી વધારે પશુઓની સારવાર અને 529 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 22 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના નેતૃત્વમાં ગૌ ટેક ટીમની મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠના કુલપતિ પ્રો. ડો. વિલાસ ખારચે સાથે ”ગૌ ટેક ૨૦૨૬” અન્વયે મહત્વપૂર્ણ મુલાકાત.

ગૌ આધારિત નવીનતા અને વૈજ્ઞાનિક અભિગમને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગૌટેક (GauTech) ટીમે મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરી (મહારાષ્ટ્ર) ના કુલપતિ માનનીય પ્રો. ડો. વિલાસ ખારચે સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી.             મુલાકાત દરમ્યાન ગૌ ટેક – ૨૦૨૩ ની સફળતા અંગે તેમજ આગામી “ગૌ ટેક ૨૦૨૬” […]

ઇતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપૂની રામકથાનો શુભ આરંભ

પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે – જૈન આચાર્ય લોકેશજી ભારત મંડપમમાં આયોજિત મોરારી બાપૂની નવદિવસીય કથા એક ઐતિહાસિક આયોજન – જૈન આચાર્ય લોકેશજી ઇતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા આયોજિત મોરારી બાપૂની રામકથાનો શુભ આરંભ 2026ના રોજ બપોરે 3:30 વાગ્યે ભારત મંડપમ, નવી દિલ્હી […]

આત્મનિર્ભર ભારતના નિર્માણનો સંકલ્પ ; ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ– ડૉ. વલ્લભભાઈ કથીરિયા

તા.૧૬ જાન્યુઆરી દેશભરમાં “સ્ટાર્ટઅપ ડે” તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે ગૌ આધારિત અર્થવ્યવસ્થાના વિચારને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે આગળ ધપાવનાર, ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર ભારતના સૌથી શક્તિશાળી અને સાશ્વત આધારસ્તંભ તરીકે વર્ણવ્યા છે.ડૉ. […]

રાજકોટના આર્ષ વિદ્યા મંદિરમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થતો 1 વર્ષનો નિઃશુલ્ક “વેદાંત અભ્યાસ કોર્સ”

પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી માર્ગદર્શન આપશે આર્ષ વિદ્યા મંદિર, રાજકોટ દ્વારા આધ્યાત્મિક જ્ઞાન ફેલાવવા માટે “વેદાંત અભ્યાસ કોર્સ” શરૂ કરવામાં આવી રહ્યો છે. આ 12 મહિના ચાલનારો સંપૂર્ણ સમયનો અભ્યાસક્રમ તા.19 ફેબ્રુઆરી 2026 ગુરુવારથી શરૂ થશે. આ કોર્સ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને તેનો સંપૂર્ણ અભ્યાસ હિન્દી ભાષામાં આપવામાં આવશે. આ અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોનું સરળ […]