બગસરામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મહત્વની બેઠક મળી : તાલુકા સમિતિની રચના

બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ જળસંચય અને પર્યાવરણ જતનનો લીધો સંકલ્પ અમરેલી જિલ્લાના બગસરા સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી વિવેકસ્વરૂપ સ્વામીના અધ્યક્ષસ્થાને ગીરગંગા પરિવાર ટ્રસ્ટની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બગસરા તાલુકાના ૩૪ ગામોના સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં ટ્રસ્ટની બગસરા તાલુકા કમિટીની વિધિવત રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી આશીર્વચન પાઠવતા […]

GCCI દ્વારા આયોજીત ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝમાં “મકર સંક્રાંતિ ગૌ સેવાનો મહાપર્વ – ભક્તિ, વિજ્ઞાન અને આત્મનિર્ભર ભારત” વિષય પર ડૉ. કૃષ્ણ મુરારીજી (ઇસ્કોન સંત) વૃંદાવન સાથે વિશેષ સંવાદનું તા.૧૦ -૦૧-૨૦૨૬, શનિવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે આયોજન.

ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “મકર સંક્રાંતિ – ગૌ […]

માનવ શાકાહારી કે માંસાહારી

માનવનાં હાડકા અને તેની શરીર રચનાનું અધ્યયન એ સિદ્ધ કરે છે કે માનવ શાકાહારી પ્રાણી છે. માનવ અને શાકાહારી પ્રાણીની શરીર રચનામાં સામ્યતા છે. ‘માનવ માંસાહારી પ્રાણી નહિ પરંતુ શાકાહારી પ્રાણી છે’ : શાકાહારી અને માંસાહારી પ્રાણીઓમાં નીચે મુજબ મુખ્ય અંતર છે. (૧) શાકાહારી પ્રાણીઓનાં આંતરડાની લંબાઈ લાંબી હોય છે અને માંસાહારી પ્રાણીઓના આંતરડાની લંબાઈ […]

9 જાન્યુઆરી, “પ્રવાસી ભારતીય દિવસ”

ભારતમાં દર વર્ષે નવમી જાન્યુઆરીનાં દિવસે “પ્રવાસી ભારતીય દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વર્ષ 1915માં ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. આ જ દિવસને ભારતની સ્વાતંત્ર્ય લડતમાં મહાત્મા ગાંધીજીનાં આગમનનાં દિવસ તરીકે ગણવામાં આવે છે. તેથી આ દિવસને “પ્રવાસી ભારતીય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રવાસી ભારતીયો […]

ઉપરાષ્ટ્રપતિ પૂજ્ય મોરારી બાપૂની દિલ્હી રામકથામાં જોડાશે – જૈન આચાર્ય લોકેશજી

અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપૂની રામકથા અંગે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે વિસ્તૃત ચર્ચા કરી અને તેમને રામકથામાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું. માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રીએ આમંત્રણ સ્વીકારી જણાવ્યું હતું કે, દિલ્હીમાં યોજાનારી પૂજ્ય મોરારી બાપૂની રામકથા ભારતીય સંસ્કૃતિ તથા અનેકતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. […]

મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથીમોટા વડાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત.

સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે કાલાવડ તાલુકાનું મોટા વડાળા ગામે પાણી સંચયને પ્રોત્સાહન આપવા માટે  સફળ ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી ઉઠશે. અને ખેડૂતોને […]

ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા જીવદયા પ્રેમી મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજયમાં ૧૦ મીથી કરૂણા અભિયાન. તા. ૨૦ જાન્યુઆરી સુધી સમગ્ર રાજયમાં કરૂણા અભિયાન યોજાશે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં જીવો-જીવવા દો-જીવાડોનો જીવદયા અભિગમ સાકાર થશે. રાજયભરમાં ૭૦૦ થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો ૬૨૦ થી વધુ તબીબો 5 હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’ માં સહભાગી થશે. પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટસએપ અને વેબસાઈટ દ્વારા મેળવી શકાશે. કરૂણા અભિયાન દરમિયાન સમગ્ર જીલ્લામાં “કરૂણા-૧૯૬૨’ ની ૨૨ એમ્બ્યુલન્સ, શ્રી કરૂણા ફાઉન્ડેશન […]

ગૌ આધારિત “બ્રાઉન રેવોલ્યુશન”ના પુરસ્કર્તા ડૉ. વલ્લભભાઈ કથીરિયાની અયોધ્યા ધામમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરની રામભક્તિ અને રાષ્ટ્રસેવા સાથે જોડાયેલી દિવ્ય દર્શન યાત્રા

ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા અયોધ્યામાં સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્રની દિવ્ય મુલાકાત લેવામાં આવી હતી. હિન્દૂ ધર્મના ગૌરવનું પ્રતીક એવા આ પાવન તીર્થસ્થાને પહોંચતા જ ડૉ. કથીરિયાએ ગર્ભગૃહમાં બિરાજમાન રામલલા તથા ભવ્ય રામ દરબારના દર્શન કરી આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો. આશરે […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા મકર સંક્રાતિ નિમીતે ચાઈનીઝ દોરા–ચાઈનીઝ તુકકલના વેંચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ મુકવા અને તેનું કડક અમલીકરણ કરાવવાગુજરાત સરકારશ્રીને રજુઆત કરાઈ.

એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન અને કેન્દ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનાં નિર્દેશ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાતિ નિમિતે સ્કાય લેન્ટર્ન ચાઈનીઝ તુકકલનાં વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર તાત્કાલીક સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ મુકવા અને તેનું કડક અમલીકરણ કરાવવાશ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી  મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ […]

“પ્રજાસત્તાક દિવસ”  તથા “ગાંધી નિર્વાણ દિવસ” નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.26 જાન્યુઆરી, સોમવારના રોજ પ્રજાસત્તાક દિવસ તથા તા.30 જાન્યુઆરી, શુક્રવારના રોજ ” ગાંધી નિર્વાણ દિવસ’ નીમીતે રાજ્યનાકતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 26 જાન્યુઆરીએ ભારતનો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવાય છે, કારણ […]