બગસરામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મહત્વની બેઠક મળી : તાલુકા સમિતિની રચના
બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ જળસંચય અને પર્યાવરણ જતનનો લીધો સંકલ્પ અમરેલી જિલ્લાના બગસરા સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી વિવેકસ્વરૂપ સ્વામીના અધ્યક્ષસ્થાને ગીરગંગા પરિવાર ટ્રસ્ટની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બગસરા તાલુકાના ૩૪ ગામોના સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં ટ્રસ્ટની બગસરા તાલુકા કમિટીની વિધિવત રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી આશીર્વચન પાઠવતા […]












































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































