સ્વ.સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનુ અવસાન થતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી જીવરાજાની પરીવારે ચક્ષુદાન તથા દેહદાન કર્યું

જીવરાજાણી પરિવારના સ્વ. સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનું અવસાન થતાં સ્વ. શ્રી પ્રવિણચંદ્ર અમરશીભાઈ જીવરાજાણી પરિવારના ધવલભાઈ (ડી.જે.), ચૌલાબેન, પિનાકીનકુમાર માવાણી, પ્રણવભાઈ દેવેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ મણીલાલ રૂપારેલે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી તેમનું ચક્ષુદાન તેમજ દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. એઈમ્સ હોસ્પિટલ દ્વારા દેહદાન સ્વીકાર્યુ હતું, જીવરાજાની પરીવારે સમાજ માટેએક ઉમદા પ્રેરણા પુરી પાડેલ છે, સમાજ સેવાના આવા કાર્યો […]

25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”

માંસાહાર, સર્વ નાશાહાર દર વર્ષે 25 નવેમ્બરે કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણી જીવમાત્રના સેવક સાધુ ટી.એલ. વાસવાણીજીનાં જન્મદિવસે “આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે” ઉજવવામાં આવે છે. સાધુ વાસવાણીજીનું સંપૂર્ણ જીવન સમાજ સેવા થકી પ્રભુ સેવાનાં કાર્યોમાં જ પસાર થયું હતું. 1993માં હૈદરાબાદમાં કન્યાઓ માટે સેન્ટ મીરા સ્કુલની સ્થાપના કરી તેઓએ કન્યા […]

ગીરગંગા દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના જળનું ‘જળકળશ મહાપૂજન’ કરાયું

ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે જળસંચય સાથે જનશક્તિને જોડવાનો સ્તુત્ય પ્રયાસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અનેકવિધ કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ : તૈયારીઓનો ધમધમાટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ માટે 1,11,111 જળસંચય કાર્યોના લક્ષ્ય સાથે યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશભરની 111 પવિત્ર નદીઓના એકઠા કરાયેલા જળનું આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી […]

વૈશ્વીક સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ, ભારતનાં જાણીતા ઉદ્યોગપતિ પ્રવિણભાઈ કોટકનો તા. 21, નવેમ્બર, શુક્રવારે જન્મદિવસ

સમગ્ર વિશ્વના ૩૦ લાખ જેટલા રઘુવંશીઓની પ્રતિનીધીત્વ કરતી 123 વર્ષ જુની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ અધ્યક્ષ, ભારતના જાણીતા બિલ્ડર, ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવિણભાઇ કોટકનો તા. 21, નવેમ્બર, શુક્રવારે જન્મદિવસ છે. પ્રવિણભાઈ કોટકનું જીવન અને કવન સુગંધીમય રહયું છે. વ્યવસાયની સફળતા સાથે તેઓ સામાજીક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય રહયાં છે. જ્ઞાતિએ સોંપેલું […]

રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ વિજેતા દિવ્યાંગ યુવાન જીમીષ પારેખના પિતા ભાસ્કરભાઈ પારેખનો તા. ૨૦, નવેમ્બર, ગુરુવાર નાં રોજ ૭૮ મો જન્મદિન

દિવ્યાંગો માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત ભાસ્કરભાઈ મંદબુધ્ધિના બાળકો માટેની સ્કૂલ “પ્રયાસ” ચલાવે છે. અંગ્રેજીમાં કહેવત છે ‘where there is will there is a way” આ કહેવતને સાચા અર્થમાં જો કોઈએ જીવનમાં ઉતારી હોય અને અસામાન્ય પરિણામો મેળવ્યા હોય તો તે છે સીનીયર સીટીઝન ભાસ્કરભાઈ પારેખ.ભાસ્કરભાઈ પારેખના પુત્ર જીમીષના જન્મના થોડા સમય બાદ જાણવા મળેલ કે […]

જળસંચયના મહાયજ્ઞમાં રાજકોટ કેમિસ્ટ એસો.નો સંપૂર્ણ સહયોગ: 1500 લોકોનો જળ બચાવવા સંકલ્પ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ભગીરથ કાર્યને રાજકોટના મેડિકલ સ્ટોર ધારકો તન, મન અને ધનથી સહાય કરશે સૌરાષ્ટ્ર અને ગુજરાતને ફરીથી નંદનવન બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના ભગીરથ કાર્યના ભાગરૂપે ગત તારીખ 9ના રોજ રાજકોટ કેમિસ્ટ એસોસિએશનનું એક વિશાળ સંમેલન શહેરના સેફરોન પાર્ટી પ્લોટ ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં રાજકોટના મેડિકલ સ્ટોર […]

‘સાધુ વાસવાણી જયંતી’ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

સમગ્ર વિશ્વમાં તા.25/11/2025, (મંગળવાર)નાં દિવસે ‘સાધુ વાસવાણી જયંતી’ ઉજવવામાં આવે છે. સાધુ વાસવાણી જન્મ જયંતી ‘આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે’ તરીકે ઉજવણી થાય છે.અત્રે ઉલ્લેખનિય છે કે, સને—૧૯૮૬ થી સાધુ વાસવાણીજીની જન્મ જયંતીના દિવસે ‘આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે’ પ્રાણીઓઓની હત્યાને બચાવવા અને અટકાવવા માટે અને શાકાહારી જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. ‘સાધુ વાસવાણી જયંતી’ […]

18 નવેમ્બર, “નેચરોપથી ડે”

નેચરોપથી – ફક્ત પથી નહી પણ જીવન જીવવાની પદ્ધતિ નેચરોપેથી એ પ્રાચીન ભારતની ચિકિત્સા પદ્ધતિ છે. જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં મુખ્યત્વે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવે છે. નેચરોપથી એ પંચતત્વ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીની મદદથી નિસર્ગોપચારનાં માધ્યમથી શરીરમાંથી વિજાતીય દ્રવ્યોને બહાર […]

16 નવેમ્બર, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”

કેપ્ચર એવરીથિંગ, ડીકલેર મેનીથીંગ, હાઈડ નથીંગ  આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો જેવા કે વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શન, ડીજિટલ મીડિયા તેને મુદ્રણ તથા દ્રશ્ય – શ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પત્રકારત્વને (press) લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર) તરીકે પણ ઓળખવામાં આવે છે અને  પત્રકારત્વ એ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય પણ ગણવામાં આવે છે. 16 નવેમ્બર, […]