દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે ‘વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવશ્યક સ્કીલ’ વિષે ગ્રોથ સેશન

જાણીતા મેનેજમેન્ટ પ્રોફેશનલ, ઉદ્યોગ સાહસિક, કોર્પોરેટ ટ્રેનર ચેતનભાઈ ભોજાણી આપશે ટ્રેનિંગ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા તા.8 નવેમ્બર શનિવાર 2025 બપોરે 04:00 કલાકે “વ્યવસ્થાપન કૌશલ્યની 8 આવ્યાશક સ્કીલ” વિષય પર જાણીતા મેનેજમેન્ટ પ્રોફેશનલ,ઉદ્યોગ સાહસિક, કોર્પોરેટ ટ્રેનર ચેતનભાઈ ભોજાણીનુ ગ્રોથ સેશન રાખવામાં આવ્યું છે.ચેતન ભોજાણી એડ વેલ્યૂ ગ્રુપ ઑફ કંપનીઝના ડાયરેક્ટર છે. તેઓ એક અનુભવી મેનેજમેન્ટ […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે મેનેજમેન્ટ ટ્રેનર વૈશાલીબેન પારેખનો ઓનલાઈન સેમીનાર

‘ટીમના સહયોગ દ્વારા સફળતા મેળવો અને તમારા વર્કપ્લેસ મેનેજમેન્ટને સરળ બનાવો’ વિષય પર ટ્રેનિંગ સેશન : કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઑનલાઇન પ્લેટફોર્મ પર પ્રસારણ થશે. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તા. 8 નવેમ્બર, શનિવારે સવારે 09:30 થી 10:30 દરમિયાન Innovative Trainer Award સહિતના અનેક એવોર્ડથી સન્માનિત વૈશાલીબેન પારેખનો “ટીમ સહયોગ દ્વારા સફળતા પ્રાપ્ત કરો અને તમારા […]

7 નવેમ્બર, “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ”

‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત 1975માં દેશમાં કેન્સરની સારવારની સુવિધાનાં હેતુથી કરવામાં આવી હતી. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ પ્રખ્યાત વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જન્મજયંતિએ 7 નવેમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે. તમાકુ અથવા ગુટખાનાં લાંબાગાળાનાં સેવન, […]

ગીરગંગાના દિલીપભાઈ સખિયા રાષ્ટ્રપતિના હસ્તે ‘જળસંચય જનભાગીદારી એવોર્ડ’થી થશે સન્માનિત

18 નવેમ્બરે દિલ્હીમાં યોજાનાર સમારોહમાં એવોર્ડ એનાયત કરાશે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના વિરાટ જળસંચય કાર્યને રાષ્ટ્રીય સ્તરે માન્યતા જળ સંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના જળસંચય જન ભાગીદારી ક્ષેત્રે ઉદાહરણરૂપ અને સમર્પિત કાર્યની પ્રશંસા સાથે, આગામી ૧૮મી નવેમ્બરે દિલ્હી મુકામે યોજાનાર એક સમારોહમાં રાષ્ટ્રપતિ […]

ઈંડુ શાકાહારી કે માંસાહારી?

હાલમાં પણ સમાજનો થોડો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે કે ઈંડા શાકાહારી છે જો કે આ વાત બિલકુલ ખોટી છે. જો ઈંડુ શાકાહારી છે તો કઈ રીતે ? એ સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે ઈંડુ એ એક કોષ(સેલ)થી […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજીત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના મધ્યસ્થ કાર્યાલયનું પાંચમી નવેમ્બરે ઉદ્ઘાટન

આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી કાર્યાલયનો પ્રારંભ કરાવશે જલકથાને આનુસંગિક તમામ ગતિવિધિઓ મધ્યસ્થ કાર્યાલયથી થશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા ‘અપને અપને શ્યામ કી’ના મધ્યસ્થ કાર્યાલયનું તારીખ 5-11-2025 રોજ સાંજે 5:00 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, જળસંચયની પ્રવૃત્તિમાં […]

વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાનું પ્રાગટય અને પરચા — મિતલ ખેતાણી

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને […]

30 ઓક્ટોબર, કારતક શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે ગોપાષ્ટમી

ગોપાષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમ વખત ઉઘાડા પગે વનમાં ગાયો ચરાવા ગયા હતા. ગોપાષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો રિવાજ ભારતીય સંસ્કૃતિ તહેવારો અને ઉત્સવોની સંસ્કૃતિ છે, જે સમાજમાં ગતિશીલતા અને નવા જીવનની ભાવના આપે છે. ઉજવણી ઉત્સાહ, આનંદ અને પ્રેમ બનાવે છે અને પ્રેમ એ પ્રભુ સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો છે. તહેવારો ઉત્સવો […]

ગોપાષ્ટમી નિમિત્તે – ગૌસેવા એ જ રાષ્ટ્રસેવા : ડૉ. વલ્લભભાઇ કથીરિયા

ગોપાષ્ટમીનો પાવન પ્રસંગ આપણને ગૌમાતાના અપાર ઉપકારો, આધ્યાત્મિક મહિમા અને આપણા જીવન સાથેના તેના અવિનાશી સંબંધની યાદ અપાવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતા “ધરતીની ધનસંપત્તિ” તરીકે પૂજાય છે. ગૌમાતા માત્ર એક પ્રાણી નહીં પરંતુ સંસ્કૃતિનું પ્રતિક, સમૃદ્ધિનું આધારસ્તંભ અને કરુણાની પ્રતિમા છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – “ગાવઃ સર્વસુખપ્રદાઃ”, એટલે કે ગૌમાતા સર્વ સુખ અને […]